Quotessence
Home / Authors / Dr. Nimit Oza

Dr. Nimit Oza Quotes

Author

Filter quotes by topic

Famous Dr. Nimit Oza Quotes

“અમૂક સમય પછી દરેક રિલેશનશિપ ‘બોરિંગ’ થઈ જાય છે. આ એક એવું સત્ય છે, જે આપણને કોઈ નથી કહેતું. શરૂઆતમાં ગમ્મે તેટલો આહલાદક અને રોમાંચક કેમ ન હોય, દરેક સંબંધ ધીમે ધીમે શાંત, અનઈવેન્ટફૂલ કે કંટાળાજનક બની જાય છે. ધેટ્સ ઓકે. એનો અર્થ એ નથી કે એમાં રહેલો પ્રેમ લુપ્ત થઈ જાય છે. એનો અર્થ એમ કે પ્રેમ પરિપક્વ થતો જાય છે. જગતનો કોઈ સંબંધ આજીવન ‘હનીમૂન ફેઝ’માં નથી રહેતો. અને રહેવો પણ ન જોઈએ. જો એ કંટાળાજનક તબક્કામાં નહીં પ્રવેશે, તો પ્રેમમાં ઊંડાણ, ધીરજ, અને સ્થિરતા કઈ રીતે આવશે ? આ ‘બોરિંગ’ તબક્કામાં જ સંબંધોનું સ્થાયીકરણ થાય છે. A relationship settles down in stillness. અશુધ્ધિઓ ત્યારે જ તળિયે બેસે છે જ્યારે જળ શાંત થઈ જાય છે. એ કદાચ મોનોટોનસ કે નીરસ લાગી શકે, પણ એ સાધારણ લાગતી ક્ષણોમાં જ અસાધારણ પ્રેમનો ઉછેર થતો હોય છે.”

“રીએક્ટ કરતાં પહેલાં એક વિરામ લઈ શકવો, એ માનવ બુદ્ધિ પ્રતિભા અને પરિપક્વતાનું મુખ્ય લક્ષણ છે. ઘણી બધી વાતો સીન ક્રિએટ કર્યા વગર પણ કહી શકાય, એ સમજણ એટલે ભાવાત્મક પરિપક્વતા.”

“પ્રિય લોકો પરફેક્ટ હોય એવો આગ્રહ છોડી દેવો. કારણકે કોઈના પરફેક્ટ બનવાની પ્રતીક્ષા કરતાં રહીશું, તો એમને ક્યારેય ચાહી નહીં શકીએ. આપણે ક્યારેય કોઈને ટુકડાઓમાં નથી ચાહી શક્તા. એમની સિલેક્ટેડ લાક્ષણિકતાઓને પ્રેમ કરીએ, અને અપ્રિય બાબતોને ધિક્કારીએ, એવું શક્ય નથી બનતું. પ્રિયજનને એમની અપૂર્ણતાઓ સાથે સ્વીકારી લેવા પડે છે. એમની અણગમતી બાજુઓને એમના વ્યક્તિત્વનો એક ભાગ ગણીને સ્વીકારી લેવી પડે છે. મોટાભાગે આપણી પાસે બે જ વિકલ્પો હોય છે, પ્રિય વ્યક્તિને કાં તો છોડી દેવી પડે છે, ને કાં તો એની અપૂર્ણતા સાથે સ્વીકારી લેવી પડે છે. કોઈ બદલાઈ એવી શરતે કે એવી આશામાં, ક્યારેય કોઈને ચાહી નથી શકાતા. જેના પરફેક્ટ બનવાની પ્રતીક્ષા કે જેને પરફેક્ટ બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ, એને પામી નથી શક્તા.”

“પરસ્પર લાભ સાથે શરૂ થયેલી કેટલીક મિત્રતા જાતીય આવેગોના શમ્યા પછી ફિક્કી, બેસ્વાદ અને સાધારણ બની જાય છે. એક સુંવાળા સહવાસથી શરૂ થયેલી કેટલીક મુલાકાત બહુ ગંદી અને ધૃણાસ્પદ લાગણીમાં પરિણમતી હોય છે.”